Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

કોરોના સંક્રમણને કારણે અવસાન પામેલ બોટાદ પોલીસ વિભાગના ત્રણ કર્મચારીઓના આશ્રિતોને રપ લાખની સહાયના ચેક અર્પણ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૮ : બોટાદ જિલ્લામાં ફરજ બજાવતા અને કોરોના વાયરસથી સંક્રમિત થતા અવસાન પામેલ ત્રણ પોલીસ કર્મચારીઓ શ્રી સુનિલભાઇ મોહનભાઇ વાળા, પોલીસ કોન્સ, પાળીયાદ પો.સ્ટે. તથા શ્રી ઇશ્વરચંન્દ્ર નાથાજી સડાત, એ.એસ.આઇ. બોટાદ પો.સ્ટે. તથા શ્રી પ્રવિણસિંહ બનેસિંહ પરદ્યવી, એ.એસ.આઇ. હેડ કવાર્ટર નાઓના આશ્રિતોને સરકારશ્રી દ્વારા જાહેર કરેલ રૂ.૨૫ લાખની સહાય અંગેની દરખાસ્તો પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા નાઓ દ્વારા અંગત રસ દાખવી વડી કચેરીને મોકલવામાં આવત, સરકારશ્રી દ્વારા ઉકત દરખાસ્તો સમયસર મંજુર કરવામાં આવેલ અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓની કચેરી દ્વારા ઉકત મર્હુમ કર્મચારીઓના આશ્રિતોને ચુકવવાના સહાયના ચેક પોલીસ અધિક્ષક બોટાદને મોકલી સન્માનપુર્વક તેમના આશ્રિતોને ચુકવવા જણાવવામાં આવેલ. જેથી આજરોજ બોટાદ ખાતે પોલીસ હેડ કવાર્ટરમાં મર્હુમ પોલીસ કર્મચારીઓના આશ્રિતોને રૂ.૨૫ લાખની સહાયના ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ શ્રી અશોક કુમાર, આઇપીએસ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓના અધ્યક્ષસ્થાને પોલીસ પરીવારની હાજરીમાં યોજાયેલ હતો.આ કાર્યક્રમમાં આઇ.જી.પી. શ્રી અશોક કુમાર, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા, ડી.વાય.એસ.પી. શ્રી રાજદિપસિંહ નકુમ તથા શ્રી એમ.બી.વ્યાસ, મર્હુમ પોલીસ કર્મચારીઓના પરીવારજનો તથા જિલ્લાના અન્ય પોલીસ અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમની શરૂઆતમાં શ્રી હર્ષદ મહેતા પોલીસ અધિક્ષક દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવેલ હતી તથા બોટાદ જિલ્લાના કોવિડ-૧૯ થી દુૅંખદ અવસાન પામનાર પોલીસ કર્મચારીઓની સેવા વિષયક માહિતી રજુ કરી હતી તથા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્વારા અવસાન પામનાર કર્મચારીઓને ૧ મિનિટ મૌન પાળી શ્રદ્ઘાંજલી આપવામાં આવી હતી. ત્યારબાદ ભાવનગર રેન્જ વડા શ્રી અશોક કુમાર, આઇપીએસ નાઓ દ્વારા રાજય સરકારશ્રી દ્વારા મંજુર કરેલ રૂ.૨૫ લાખની સહાયના ચેક મર્હુમ પોલીસ કર્મચારીઓના આશ્રિતોને સંવેદના સહ અર્પણ કરી પોલીસ વિભાગના વડા તરીકે આશ્રિતોના સ્વજનો સાથે સહાનુભૂતિપુર્ણ સંવાદ કરી તેમને હિંમત અને સાંત્વના આપી હતી. ત્યારબાદ મર્હુમ પોલીસ કર્મચારીઓની નાણાકીય સહાયની ઉકત દરખાસ્તો સમય મર્યાદામાં મોકલી સારી કામગીરી કરનાર વહિવટી કર્મચારીઓ તથા કોવિડ-૧૯ વેકસીનેશન કામગીરી અને જાગૃતિ કાર્યક્રમોમાં શ્રેષ્ઠ ફરજ બજાવનાર પોલીસ અધિકારીઓને આઇ.જી.પી.શ્રીના વરદ હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા.

બોટાદ જિલ્લામાં ફરજ બજાવતા અને કોવિડ-૧૯ થી અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિતોને જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ તમામ નાણાકીય સહાયો તથા રાજય સરકારની રૂ.૨૫ લાખની સહાયના ચેક સન્માનપુર્વક અર્પણ કરી જિલ્લા પોલીસે મર્હુમ કર્મચારીઓને સાચા અર્થમાં શ્રદ્ઘાંજલી અર્પણ કરી છે.

(11:49 am IST)