Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

દુધરેજ વડવાળા મંદિરમાં સંતો મહંતોને કોરોનાની રસી આપવામાં આવી

વઢવાણ : સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા સમગ્ર રબારી સમાજ ના આસ્થાનું કેન્દ્ર શ્રી વડવાળા મંદિર દુધરેજધામ માં રસીકરણ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ જેમા પ.પુ નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભુષિત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી મહારાજ તથા કોઠારી શ્રી મુકુંદરામદાસજી મહારાજ તથા જગ્યાના તમામ સંતો ને રસીકરણ કરવામાં આવેલ તેમજ પ.પુ કનીરામદાસજી બાપુ દ્વારા સમગ્ર રબારી, માલધારી તથા તમામ સમાજના લોકો ને રસી લેવા માટે આવાહન કરવામાં આવ્યુ.કોરોના ની ત્રીજી લહેરથી બચવા રસીકરણ એ જ હથીયાર છે.ભગવાન શ્રી વડવાળા દેવ સમગ્ર દેશ ને કોરોનાની મહામારીમાથી ઉગારી લે તેવી પ્રાર્થના.આ રસીકરણ કેમ્પને સફળ બનાવવામાં હેલ્થ વિભાગના ડો.પ્રીંજલ રાણપુરા, એમપીએચડબલ્યુ વૈશાલીબેન જાની તથા તેમની ટીમ અને સમાજસેવી રજનીકાંત કડ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. (તસ્વીર : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(11:49 am IST)