Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ઓખા-નાથદ્વારા સાપ્તાહિક ટ્રેન ફરી10 ઓગસ્ટથી દોડશે : એક્સપ્રેસ દર બુધવારે સવારે 08:20 વાગે ઉપડશે

ટ્રેન બપોરે 12.41 વાગે રાજકોટ પહોંચશે અને બીજા દિવસે 06:30 વાગે નાથદ્વારા : દર ગુરુવારે રાત્રે 20:30 વાગે નાથદ્વારાથી ઉપડશે

દેવભૂમિ દ્વારકા તા.08 : ઓખા-નાથદ્વારા સાપ્તાહિક ટ્રેન હવે 10મી ઓગસ્ટ, 2022થી આગળની સૂચના સુધી ચાલુ કરવામાં આવી છે. જેની ટિકિટનું બુકિંગ 4 ઓગસ્ટથી શરૂ થશે. ટ્રેન નંબર 19575 ઓખા - નાથદ્વારા એક્સપ્રેસ ઓખાથી દર બુધવારે સવારે 08:20 વાગે ઉપડશે, જે રાજકોટ તે જ દિવસે બપોરે 12.41 વાગે પહોંચશે અને બીજા દિવસે 06:30 વાગે નાથદ્વારા પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 19576 નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ દર ગુરુવારે રાત્રે 20:30 વાગે નાથદ્વારાથી ઉપડશે અને બીજા દિવસે રાજકોટ બપોરે 13:50 વાગ્યે અને ઓખા સાંજે 18:55 વાગે પહોંચશે. આ ટ્રેન 11 ઓગસ્ટ, 2022 થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેનમાં કુલ 23 કોચ હશે. જેમાં 2 સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 9 સેકન્ડ સ્લીપર, 4 જનરલ અને 2 લગેજ વાન કોચ હશે.

(9:09 pm IST)