Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ઉના ભારતીય શાસ્ત્રીય સંસ્થાન દ્વારા પદવીદાન

ઉના : ભારતીય શાસ્ત્રીય સંસ્થાન ઉના દ્વારા દિવસના દિવસે પદવીદાન સમારોહ તેમજ શિક્ષક સમ્માન સમારંભ યોજાયો હતો. જેમાં સંગીતના વિભિન્નકોર્સના વિદ્યાર્થીઓને મુખ્ય અતિથી અને અતિથી વિશેષ શ્રીના હસ્તે પદવી એનાયત કરી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતાં. સુવર્ણ ચંદ્ર વિજેતા શિક્ષક બીપીનભાઇ જોશી, ટ્રસ્ટી સરસ્વતી કોલેજ ધર્મેન્દ્રભાઇ એન. જોશી ગીરગઢડા, અભિનવ વિદ્યા મંદિર ગીર ગઢડાના પ્રાચાર્ય રત્નેશભાઇ જોશી, 'મધુવન સાપ્તાહીક' ના તંત્રી નીરવભાઇ ગઢીયા, તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી અશ્વિનભાઇ સોલંકીનું ભારતીય શાસ્ત્રીય સંગીત સંસ્થાનના નિર્દેશક કમલેશભાઇ મહેતા દ્વારા તેમજ સુતરની માળા અર્પણ કરી સમ્માનિત કરવામાં આવ્યા હતાં. તથા સ્મૃતિચિન્હ સ્મરણ અપાઇ હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી ધર્મેન્દ્રભાઇ જોશી તથા આભારવિધી સંસ્થાના ઓનર શ્રીમતી શીતલબહેન મહેતાએ કર્યો. કાર્યક્રમનું નિર્દેશ અને સંગીત સંચાલન રાષ્ટ્રીય કક્ષા તેમજ રાજય કક્ષાના સંગીત ક્ષેત્રે અનેક પુરસ્કાર અને સમ્માન પ્રાપ્ત કરનાર માસ્ટર ક્રિષ્ન મહેતા અને મૃગનયની મહેતો કરેલું. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાનના મેરૂભાઇ ગોહીલ સાગર બામણીયા ઋષિ જોશી તથા સમસ્ત પરિવારે પુરતો સહયોગ મળ્યો હતો. પદવી એનાયત કરવામાં આવી તે તસ્વીર.

(11:39 am IST)