Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ધોરાજી જામકંડોરણા તાલુકાના શિક્ષક રત્નોનુંસન્માન

ભારતીય સંસ્કૃતિના વાહક મૂલ્ય આધારિત શિક્ષણની કેડી કંડારીને નાવીન્ય પૂર્ણ પ્રયોગો કરી બાળકોની શકિતને ઉજાગરા કરનાર તેમજ કલા, સાહિત્ય, સશોધન,ખેલકૂદ, સમાજસેવા, તથા ટેકનોલોજી સાથે અભ્યાસક્રમનું સાયુજય સાધીને રાષ્ટ્ર નિર્માણમાં ચાવીરૂપ ભાવિ નાગરિકોનું ઘડતર કરનાર શિક્ષકોને શિક્ષક રત્ન સન્માન પારિતોષિક અર્પણ કરી સન્માનિત કરાવામાં આવે છે. ત્યારે વહીવટી તંત્ર રાજકોટ દ્વારા જામકંડોરણા તાલુકા શાળાના શિક્ષિકાશ્રી વિરડીયા હર્શીદાબેનનું તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત  સાજડીયાળી પ્રાથમિક શાળાના આચાર્ય વિજયભાઈ રાણપરીયાનું પણ નવદુર્ગા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા.નવદુર્ગા ચેરીટેબલ એન્ડ એજયુકેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

(11:40 am IST)