Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

ભારતીય જળસીમામાં જખૌ નજીક મધદરિયે પોરબંદરની બોટમાં આગ: કોસ્ટગાર્ડે ૭ માછીમારોને બચાવી લીધા: કળશરાજ બોટ સળગી: કોસ્ટગાર્ડના 'આરુષ' શીપ સાતેય માછીમારોને લઈ ઓખા પહોંચ્યું

ભુજ: (વિનોદ ગાલા દ્વારા)ભારતીય જળસીમા નજીક મધદરિયે માછીમારી કરી રહેલ બોટમાં એકાએક આગ લાગવાના બનાવ વચ્ચે ભારતીય કોસ્ટગાર્ડે તરત જ મદદે પહોંચી તમામ સાતેય માછીમારોને બચાવી લીધા હતા. કોસ્ટગાર્ડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય જળસીમામાં પોરબંદરની કળશરાજ બોટમાં મધદરિયે આગ લાગી હતી. તે સમયે જ દરિયામાં તૈનાત કોસ્ટગાર્ડનું આરુષ જહાજ મદદે પહોંચી ગયું હતું. સમયસર મદદે પહોંચેલા કોસ્ટગાર્ડના જવાનો બોટમાં સવાર સાતેય માછીમારોને બચાવવામાં સફળ રહ્યા હતા. બચી ગયેલા સાતેય માછીમારોને ઓખા બંદરે લઈ જવાયા છે.

(6:43 pm IST)