-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Monday, 8th November 2021
ભારતીય જળસીમામાં જખૌ નજીક મધદરિયે પોરબંદરની બોટમાં આગ: કોસ્ટગાર્ડે ૭ માછીમારોને બચાવી લીધા: કળશરાજ બોટ સળગી: કોસ્ટગાર્ડના 'આરુષ' શીપ સાતેય માછીમારોને લઈ ઓખા પહોંચ્યું
ભુજ: (વિનોદ ગાલા દ્વારા)ભારતીય જળસીમા નજીક મધદરિયે માછીમારી કરી રહેલ બોટમાં એકાએક આગ લાગવાના બનાવ વચ્ચે ભારતીય કોસ્ટગાર્ડે તરત જ મદદે પહોંચી તમામ સાતેય માછીમારોને બચાવી લીધા હતા. કોસ્ટગાર્ડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય જળસીમામાં પોરબંદરની કળશરાજ બોટમાં મધદરિયે આગ લાગી હતી. તે સમયે જ દરિયામાં તૈનાત કોસ્ટગાર્ડનું આરુષ જહાજ મદદે પહોંચી ગયું હતું. સમયસર મદદે પહોંચેલા કોસ્ટગાર્ડના જવાનો બોટમાં સવાર સાતેય માછીમારોને બચાવવામાં સફળ રહ્યા હતા. બચી ગયેલા સાતેય માછીમારોને ઓખા બંદરે લઈ જવાયા છે.
(6:43 pm IST)