Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

મોરબી તાલુકાનાં નારણકા ગામે ૧૧ મીએ સમસ્ત મેરજા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીના સાનિધ્યમાં ભવ્ય પાટોત્સવનું આયોજનઃ મહાયજ્ઞ યોજાશે

૧૦ મીએ શોભાયાત્રા, રાસ-ગરબા સહિતના કાર્યક્રમો યોજાશે

મોરબી તા. ૯ : મોરબી તાલુકાના નારણકા ગામે સસ્ત મેરજા પરિવાર દ્વારા પરંપરા મુજબ દર વર્ષે વાર્ષિક પાટોત્સવ યોજાઇ છે જેમાં આગામી તા. ૧૧ ના રોજ બહુચરાજી માતાજી મંદિર નારણકા ખાતે ૧૭મો પાટોત્સવ યોજાવવા જઇ રહ્યા છે. આ પાટોત્સવમાં તા. ૧૦ ના સાંજે ૭ કલાકે શોભાયાત્રા, રાત્રે ૧૦ કલાકે રાસ-ગરબા, તા. ૧૧ ને ગુરૂવારના રોજ મહાયજ્ઞ, બપોરે ર કલાકે બીડું હોમવામાં આવશે. આ તકે યજ્ઞના યજમાન તરીકે સન્નીભાઇ બ્રિજેશભાઇ મેરજા, રિન્કુબેન સન્નીભાઇ મેરજા તથા ચેતનભાઇ દેવકરણભાઇ મેરજા, હિરલબેન ચેતનભાઇ મેરજા બિરાજમાન થશે.

(4:20 pm IST)