Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

વાંકાનેરના હસનપરમાં ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતા પરિવારજનો ઉપર ૪ શખ્સોનો છરી, લોખંડના પાઈપ, ઈંટોના ઘા થી હુમલોઃ ખૂનની ધમકી

આરોપીઓને ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

વાંકાનેર, તા.૮: વાંકાનેર તાલુકાના હસનપર ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં પરિવારજનો પર ચાર શખ્સોઍ છરી, લોખંડના પાઈપ અને ઈંટોના ઘા ઝીંકી મારી નાખવાની ધમકી આપી હતી. જે બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોîધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા નિલેશભાઈ રમેશભાઈ મકવાણાના ભાઈ કરણ સાથે અગાઉ છોકરાઓને માથાકૂટ થઈ હતી. ત્યારબાદ આ બાબતે બંને પક્ષે સમાધાન પણ થયું હતું. પરંતુ આ બાબતનું વેર ઝેર રાખી મકનસર ખાતે રહેતા આરોપીઓ અશોકભાઈ સારલા, હસનપર ગામે રહેતા આરોપી વિશાલભાઈ રમેશભાઈ, મેરૂ નરશીભાઈ તથા સંજયભાઈ, પ્રવિણભાઈ સહિતનાઓઍ નિલેશભાઈના ઘર પાસે આવી બેફામ વાણી વિલાસ કરતા નિલેશભાઈના માતાઍ ગાળો બોલવાની ના પાડતા ચારેય આરોપીઓ લોખંડના પાઈપ વડે મુકેશભાઈ પર તૂટી પડયા હતા અને મુકેશભાઈને માથામાં ગંભીર ઈજાઓ પહોîચાડી હતી તથા કરણને માથાના ભાગે ઈજાઓ પહોîચાડી હતી. આ ઉપરાંત ઈંટના ટુકડાના ઘા ઝીંકી ફરીયાદી નીલેશભાઈને ઈજા પહોîચાડી હતી તથા છરી વડે નિલેશભાઈના માતા ગૌરીબેનને પણ સામાન્ય ઈજા પહોîચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને પગલે નિલેશભાઈની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોîધીને આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(5:14 pm IST)