Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ભાવનગરમાં આજે પણ ૨ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા જ્યારે ૩ દર્દીઓ કોરોનામુક્ત થયા

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૪૧૭ કેસો પૈકી ૧૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ

 ભાવનગર જિલ્લામાં આજરોજ ૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા ૨૧,૪૧૭ થવા પામી છે. ભાવનગર શહેરમાં ૨ પુરૂષ મળી કુલ ૨ લોકોના કેસ પોઝિટિવ નોંધાતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. 
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩ કેસ મળી કુલ ૩ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ,જિલ્લામાં નોંધાયેલા ૨૧,૪૧૭ કેસ પૈકી હાલ ૧૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૭ દર્દીઓનું અવસાન થયેલ છે.

(8:23 pm IST)