Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

જૂનાગઢમાં સ્‍વામી આનંદ સાગર વિરૂધ્‍ધ ભુપતભાઇ સેઠિયાનું આવેદનપત્ર

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૯ : તાજેતરમાં સોખડા મંદિરથી જુદા થયેલા પ્રબોધ સ્‍વામી જૂથના આનંદસાગર સ્‍વામીનો કોઈ એક પ્રવચન દરમિયાન શિવજી અંગે ટિપ્‍પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલ જેમાં સાધુ આનંદ સાગરે પ્રવચનમાં ભગવાન શિવજી અંગે વિવાદાસ્‍પદ ટીપ્‍પણી કરી હતી.

પ્રવચન કરી અને આરાધ્‍ય દેવ શંકર ભગવાન આનંદ સ્‍વામીનાં ગુરુ પ્રબોધ સ્‍વામીથી ઉતરતી કક્ષાના અને એમના દર્શન કરવા પુરતા પણ ભગવાન શંકર પાસે પુણ્‍ય ન હોય તેવું પ્રવચન આપી અને  શિવ ઉપાસના કરનાર વર્ગના લોકોની ધાર્મિક માન્‍યતાઓનું અપમાન કરીને તેમની ધાર્મિક લાગણીઓને આઘાત પહોંચાડવાના ઇરાદાથી કરેલા હેતુપૂર્વક કળત્‍ય અને  ધાર્મિક વ્‍યક્‍તિઓને આઘાત પહોંચાડવાના ઇરાદાથી બોલેલા શબ્‍દો દ્વારા જાણી જોઇને  ભગવાન શિવનું અપમાન કરી ધાર્મિક લાગણી દુભાવેલ હોય જેથી જવાબદાર આનંદ સ્‍વામી તથા તપાસમાં આવનાર તમામ લોકો સામે આઈ.પી.સી કલમ ૧૫૩(ક), ૨૯૮, ૫૦૪ તથા ઇન્‍ફોર્મેશન એન્‍ડ ટેકનોલોજી એક્‍ટ હેઠળ ગુનો દાખલ કરવા ભુપતભાઇ શિવલાલભાઇ સેઠિયા દ્વારા બી ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે અરજી કરવામાં આવી છે.

(2:38 pm IST)