Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

પૂ.બિલ્લાદાસ બાપુની ચાદરવિધિ- ભંડારો

જુનાગઢમાં સંતો- મહંતોની ઉપસ્‍થિતિમાં

રાજકોટઃ જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે આવેલ ‘શ્રી શ્રી ૧૦૦૮ પરમ પૂજય શ્રી બનારસીબાપુ ઉદાસી'ની તપોભૂમિ તરીકે પ્રસિધ્‍ધ અને શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી ઉદાસી બડા અખાડા આશ્રમના શ્રી બિલ્લાદાસ બાપુ ગુરૂશ્રી બનારસીદાસ બાપુ ઉદાસીને આશ્રમના ગાદી મહંતશ્રી તરીકે જૂનાગઢ (સોરઠ)  સૌરાષ્‍ટ્ર કચ્‍છ કાઠિયાવાડીના સંતો, મહંતો, સાધુ, સંતો અને તપસ્‍વી સંત શ્રી શ્રી બુધ્‍ધગીરીબાપુની ખાસ ઉપસ્‍થિતિમાં અને સમસ્‍ત ‘શ્રી શ્રી ૧૦૦૮ ગુરૂશ્રી બનારસીદાસ બાપુ પરીવાર'ની હાજરીમાં શ્રી બિલ્લાદાસ બાપુ ગુરૂશ્રી બનારસીદાસ બાપુ ઉદાસીની ચાદર વિધિ અને ભંડારાનું આયોજન ધામધૂમથી કરવામાં આવેલ હતું. તેમ રાજકોટ ભીલવાડાના શ્રી રણજીતભાઈ ભીલ મો.૬૩૫૨૭ ૩૫૯૫૯ની યાદી જણાવે છે.

(1:39 pm IST)