Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

મોરબીમાં પ્રેમલગ્ન કરનાર મહિલાનું ડીલીવરી બાદ ઘરે જતી વેળાએ અપહરણ.

પરિણીતાના પિયરના લોકોએ જ મળીને અપહરણ કર્યાની ફરિયાદ.

મોરબી તાલુકાના બંધુનગર ગામ નજીક ખીલખીલાટ ગાડીમાં ડીલીવરી બાદ ઘરે પરત જતી મહિલાનું પિયરિયા લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોય જે બનાવ મામલે પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના થાનના વતની અને હાલ વિરમગામના રહેવાસી મહેશભાઈ પ્રભુભાઈ માત્રાણીયા (ઉ.વ.૨૧) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તે વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેને વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની લક્ષ્મીબેન અમરશીભાઈ રાઠોડ સાથે પ્રેમલગ્ન કરેલ છે જે પત્ની પ્રેગનેન્ટ હોવાથી તા. ૦૫ સપ્ટેમ્બરના રોજ મોરબી સરકારી દવાખાને બતાવવા ગયા હતા અને ડોકટરે સીજેરીયન ડીલીવરી કરાવવાનું કહી દખલ કર્યા હતા અને તા. ૦૮ સપ્ટેમ્બરના રોજ સવારના રજા આપી હતી અને હોસ્પિટલ તરફથી ખીલખીલાટ વાન ઘરે થાન મુકવા આવવા રવાના થઇ હતી
જેના ડ્રાઈવર વિક્રમસિંહ ભીખુસિંહ ચૌહાણ હતા અને ખીલખીલાટ વાન જીજે ૧૮ બીટી ૪૪૧૮ માં જતા હોય ત્યારે બંધુનગર ગામ નજીક સફેદ કલરની ઇકો કાર આવી અને વાન ઉભી રખાવી હતી તેમજ બીજી કાળા કલરની બોલેરો અને સફેદ કલરની ગાડી પાછળ આવી જે કારમાં ફરિયાદીની પત્નીના મામા અશોકભાઈ કેશાભાઇ ધરજીયા, જીતાભાઇ કેશાભાઇ ધરજીયા, પત્નીના ફૈબાનો દીકરો વિપુલ, પત્નીના મોટા બાપુ પ્રભુભાઈ રામભાઈ રાઠોડ, સાસુ વસંતબેન અને પત્નીના મામી તેમજ અન્ય અજાણ્યા બે-ત્રણ લોકો આવી અશોક અને વિપુલના હાથમાં છરી હતી તે બતાવી ફરિયાદીના પત્ની લક્ષ્મીબેનને કેમ ભગાડી લઇ ગયો ચો કહીને માર મારી ખીલખીલાટ વાનની ચાવી કાઢી લઈને ત્રણ ગાડીમાં આવેલ લોકોએ પત્નીનું અપહરણ કરી ત્રણેય વાહનમાં નાસી ગયા હતા અને ખીલખીલાટ વાનની ચાવી લઇ ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે
મોરબી તાલુકા પોલીસે આરોપી અશોક કેશાભાઇ ધરજીયા, જીતાભાઇ કેશાભાઇ ધરજીયા(  રહે બંને થાનગઢ ) ફરિયાદીના પત્નીના ફૈબાનો દીકરો વિપુલ (રહે થાનગઢ) , ફરિયાદીના પત્નીના મોટા બાપુ પ્રભુભાઈ રામભાઈ રાઠોડ, ફરિયાદીના સાસુ વસંતબેન (રહે બંને વિનયગઢ તા. વાંકાનેર) તેમજ મનડાસર ગામે રહેતા ફરિયાદીના પત્નીના મામી અને બે-ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(12:10 am IST)