Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

શાપરમાં પીધા બાદ દેકારો કરતાં ગોપાલને રણજીતે ફટકાર્યો

જેણે પીવડાવ્યો એણે જ ધોકાથી માર માર્યાનો આરોપ

રાજકોટ તા. ૯: શાપર વેરાવળમાં સર્વોદય સોસાયટી બુધ્ધનગરમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં ગોપાલ જીવાભાઇ કળથીયા (સગર) (ઉ.વ.૩૫)ને સાંજે ઘર નજીક રણજીત નામના શખ્સે ધોકાથી ફટકારતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં શાપર પોલીસને જાણ કરાઇ હતી.

ગોપાલના મિત્ર જીજ્ઞેશના કહેવા મુજબ રણજીતે પહેલા દારૃ પીવડાવ્યો હતો. એ પછી મિત્રો સાથે ગોપાલ દેકારો કરતો હોઇ રણજીતે ઉશ્કેરાઇ જઇ દેકારો શુંકામ કરો છો? કહી લાકડીના ઘા ફટકારી દીધાં હતાં.

(11:40 am IST)