Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કેશોદનાં વેપારીનો વ્યાંજકવાદીઓનાં ત્રાસથી આપઘાતનો પ્રયાસઃ સાત શખ્સો સામે ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૯: કેશોદનાં વેપારીને વ્યાંજકવાદીઓએ ત્રાસ આપી તેનાં પુત્રને મારી નાંખવાની ધમકી આપતા વેપારીએ આપઘાતનો પ્રયાસ કરતાં પોલીસે સાત શખ્સો સામે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, કેશોદની રાજધાની સોસાયટીમાં રહેતા અને ઇલેકટ્રીકની દુકાન ધરાવતા પ્રતિક મહેશભાઇ ઠુમર (ઉ.વઉ ૩૪) એ ધંધાનાં વિકાસ માટે કેશોદના પકા કારાભાઇ આહિર, માલદે મેર, પિયુષ આહિર, લખન ગરચર, રામભાઇ ગરચર અને તનવીર સોઢા પાસેથી રૂ. ૬.રપ લાખ ઉંચા વ્યાજે હાથ ઉછીના લીધા હતા.

તેમજ પ્રતિકનાં મિત્રએ કેશોદનાં જગા જેસુરભાઇ પાસેથી રૂ. ર.૭૦ લાખ વ્યાજે લીધા હતા. જેમાં પ્રતિકભાઇ જામીન હોય આથી તમામ નાણાની પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપી અને દુકાન લઇ લેવાનો ભય બતાવતા પ્રતિકભાઇ એ ફિનાઇલ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ અંગેની ફરિયાદનાં આધારે પોલીસે તમામ વ્યાજખોરો સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ કેશોદના પી.આઇ. આર. એમ. વસાવા ચલાવી રહ્યા છે.

(12:44 pm IST)