Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનો કેસનો આંક ૩૦૦૦ને પાર

નવા ૪૧ કેસની સામે ર૯ ડિસ્ચાર્જ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૯: જુનાગઢ જિલ્લામાં કોરોના કેસનો આંક ૩૦૦૦ ને પાર થઇ જવા પામ્યો છે અને હજુ નવા કેસનો વધારો થઇ રહ્યો છે.

ગુરૂવારે જિલ્લામાં નવા ૪૧ નોંધાયા હતા અને ર૯ દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવેલ.

નવા ૪૧ કેસમાં જુનાગઢ સીટીનાં ૧૮ પોઝીટીવ કેસનો સમાવેશ થાય છે.

જયારે કેશોદમાં ૭ કેસ, માણાવદર તથા વિસાવદરમાં ચાર-ચાર કેસ, જુનાગઢ ગ્રામ્ય, અને વંથલીમાં બે-બે તેમજ ભેસાણ, માળીયા, મેંદરડા તથા માંગરોળમાં એક-એક કેસ નોંધાયો હતો. આમ ગઇકાલે જિલ્લાનાં તમામ તાલુકામાં કોરોનાએ એન્ટ્રી કરી હતી.

જિલ્લામાં હાલ ૯૭ કન્ટેઇનમેન્ટ ઝોનમાં ૬૯૬ ઘરનાં ર૮ર૪ લોકોનો સમાવશે થાય છે.

(12:44 pm IST)