Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ધોરાજી હિન્દૂ યુવક સંઘ દ્વારા રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની હાજરીમાં યોજાતા નવરાત્રી અને રાવણ દહનના કાર્યક્રમો આ વખતે કોરોનાના કારણે મોકૂફ

ધોરાજી :- ધોરાજી હિન્દૂ યુવક સંઘના પ્રમુખ અને માજી નગરપતિ હરકીશનભાઈ માવાણી અને સભ્યો દ્વારા રાજ્યના કેબિનેટ મંત્રી  જયેશભાઇ રાદડીયા ની હાજરીમાં યોજાતા ધોરાજીના બાવલા ચોક ખાતે નવરાત્રી અને દશેરાનો રાવણ દહન નો કાર્યકામ ભવ્યતા ભેર યોજાતો રહ્યો હતો.

ચાલુ વર્ષે કોરોનાની સ્થિતિ અને સરકારશ્રીની ગાઈડ લાઈન અનુસાર ભીડ એકત્રિત ન થાય તે માટે હાલ ચાલુ વર્ષે રાસ ગરબા મહોત્સવ અને રાવણ દહન કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. તેમ ધોરાજી હિન્દુ યુવા સેનાના પ્રમુખ હરકિસન ભાઇ માવાણી એ યાદીમાં જણાવાયું છે

(4:11 pm IST)