Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર ‘માટેલધરા ખાતે નવરાત્રી પર્વે' માતાજીને અનોખા શણગાર દર્શન

વાંકાનેરઃ વાંકાનેર તાલુકાના જગ વિખ્‍યાત અને સૌનું આસ્‍થાનું પ્રતિક એવા માટેલ ધરા ખાતે આવેલ સૌરાષ્ટ્રનુ પવિત્ર યાત્રાધામ ‘આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર' માટેલધારા ખાતે આસો ના રૂડા નવરાત્રીમાં માતાજીના નિજ મંદિર માં વિધ વિધ જાતના ફૂલોનાં શણગાર દર્શન થઈ રહયા છે તેમજ ‘માં'ના દરબાર માં વિધ વિધ જાતની ક્‍લાત્‍મક પુષ્‍પોની ‘રંગોળી' કરવામાં આવે છે આ ઉપરાંત સમગ્ર મંદિરને અનોખા લાઈટ ડેકરોશનની શુભોષિત કરવામાં આવેલ છે. નવરાત્રીના બીજા નોરતામાં થયેલ માતાજીના શણગાર દર્શનની તસ્‍વીર (તસ્‍વીર,અહેવાલઃહિતેશ રાચ્‍છ, વાંકાનેર)

 

(11:20 am IST)