Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

મોરબી: 12 માર્ચે શક્ત શનાળા ખાતે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં 77 યુગલો પ્રભુતામાં પગલા પાડશે.

મોરબીના શક્ત શનાળા ખાતે આવેલી ઝાલા રાજપૂત ક્ષત્રિય સમાજની વાડી ખાતે 12 માર્ચના રોજ 77 નવદંપતિઓનો જાજરમાન સમુહ લગ્નોત્સવ યોજાશે.

  મોરબીના શક્ત શનાળા ખાતે ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને વાત્સલ્ય એજ્યુકેસન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ- મોરબી દ્વારા સર્વ જ્ઞાતિય 77 નવદંપતિઓનો સમુહ લગ્નોત્સવ યોજાશે. આ સમુહ લગ્નોત્સવમાં શેઠ પી.જી. પટેલ કોલેજ મોરબી, શ્રી રામ યોગ કેન્દ્ર, ચિત્રા હનુમાનજી ધૂન મંડળ, હિતમ ચેરિટેબલ ટ્રસ્ટ, લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીનો સહયોગ મળી રહ્યો છે. સવારે 8 થી 4 કલાક દરમિયાન લગ્નોત્સવ યોજાશે અને સવારે 10-30 કલાકે સત્કાર સમારંભનું પણ આયોજન કરાયું છે.
આ સમુહ લગ્નોત્સવના ઉદઘાટક તરીકે મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને અધ્યક્ષ તરીકે મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અનેક મહેમાનો હાજરી આપી નવદંપતિઓને આશીર્વાદ પાઠવશે.

 

(11:24 pm IST)