Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

સાવરકુંડલાના ઓળીયા ગામના નીંબાર્ક આશ્રમ ખાતે જૈન મહારાજશ્રીઓની પધરામણી.

સાવરકુંડલામાં જૈન દેરાસર ખાતે પરમ પૂજ્ય જયસુંદર સુરી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય પ્રેમસુંદરસુરી મહારાજ સાહેબ સહીત આદીથાણા 14 મહારાજશ્રીઓએ જૈન અને જૈનેતર સમાજને સતત 15 દિવસ સુધી ધર્મ લાભ આપ્યો હતો બાદમાં તારીખ 8/3/ ને બુધવારના રોજ બધા મહારાજશ્રીઓ અમરેલી તરફ જવા વિહાર યાત્રાએ નીકળ્યા હતા અને ઓળિયા ગામે આવેલા નીંબાર્ક આશ્રમ ખાતે રાતવાસો કરવા પધરામણી કરી હતી

 અહીં નીંબાર્ક આશ્રમના પૂજ્ય સંત શ્રી રામદાસજી મહારાજે તમામ જૈન સાધુ મહારાજશ્રીઓનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને પરમ પૂજ્ય શ્રી જયસુંદર સૂરી મહારાજ સાહેબ સાથે ધર્મ સત્સંગ કર્યો હતો બાદમાં ગુરુવારે સવારે તમામ મહારાજશ્રીઓને ભાવભરી વિદાય આપી હતી. મહારાજશ્રીઓની વિહાર યાત્રા સમયે જૈન સમાજના આગેવાન ભૂપેશભાઈ મહેતા, પીન્ટુભાઇ દોશી અને સેવાભાવી કાર્યકર સુરેશભાઈ ખત્રી વગેરે ઓળીયા ના નિંબાર્ક આશ્રમ સુધી મહારાજશ્રીઓની સાથે રહ્યા હતા.

   
(1:03 am IST)