-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
જુનાગઢમાં અનાજ, ખજુર, ધાણી, મમરાનું વિતરણ
જૂનાગઢ : માનવ સેવા એજ પ્રભુ સેવાનાં સુત્રને સાર્થક કરતી સંસ્થા જુનાગઢ ખોડીયાર ગળપ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા દર મહિનાનાં બીજા રવિવારે જરૂરીયાતમંદ કુટુંબોને વિનામુલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે. તો તેનાં અનુસંધાને માર્ચ મહિનામાં અને હોળી (ધુળેટી)નાં પાવન તહેવાર નિમિતે આદર્શ પ્રાયમરી સ્કુલ, ખાતે જરૂરીયાતમંદ ૫૫ (પંચાવન) કુટુંબોને વિનામુલ્યે ઘઉં, ચોખા, ખાંડ, ચણાની દાળ, ચણા, ચોખાનાં પૌવા, ચાની ભુકી, ચટણી, હળદર, ધાણાજીરૂ, ખીચડી, ખજુર, મમરા, ન્હાવાનો સાબુ, કપડાં ધોવા નો સાબુ, મોટી ધાણી, નાની ધાણી, મસાલા દાળીયા, સાદા દાળીયા, નમક (મીઠું), પારલે બિસ્કીટ એમ કુલ ૨૧ આઈટમ આપવામાં આવેલ હતી. આ અનાજ, ખજુર, ધાણી, મમરા વિતરણનાં પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આગેવાનો ચંદુભાઈ લોઢીયા, વિજયભાઈ મિશ્રાણી, બટુકભાઈ મકવાણા, જીસાનભાઈ હાલેપૌત્રા, મુન્નાભાઈ દાતારવાળા, કાળુભાઈ કડીવાર, સોહિલભાઈ સીદીકી, દિપકભાઈ આર્ય, નરેન્દ્રભાઈ જોષી (બટુકબાપુ), અજયભાઈ વૈષ્નવ, અરવિંદભાઈ મારડીયા, હર્ષભાઈ ઠાકર, હરસુખભાઈ પાલા, ભાર્ગવભાઈ માંડલીયા, રમીલાબેન ઘુચલા, રોશનીબેન ઘુચલા, મિતલબેન રાડા, ભાવનાબેન કે.વૈષ્ણવ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તમામ ઉપસ્થિત મહેમાનો એ આ સંસ્થા ની સેવાકીય પ્રવળતિને બિરદાવી હતી. આ અનાજ, ખજુર, ધાણી, મમરા વિતરણનાં પ્રસંગે અલગ અલગ જુનાગઢનાં અને બહારગામથી દાતાઓનો પુરેપુરો સહકાર મળ્યો હતો. આ સેવાકીય કાર્યને સફળ બનાવવાં સંસ્થાનાં પ્રમુખ નરેન્દ્ર ઘુચલા એ જહેમત ઉઠાવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા)