Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

પાલીતાણાના ખાખરીયાથી પ્રસ્‍થાન થઈ દ્વારકાધીશ ના દર્શને જતા પદયાત્રા સંઘનું ભુરખિયા હનુમાનજી મંદિરે આગમન

દામનગરઃ પાલીતાણાના ખાખરીયા થી પ્રસ્‍થાન થઈ દ્વારકાધીશ ના દર્શને જતા પદયાત્રા સંધ નું ભુરખિયા હનુમાનજી મંદિરે પરિસર માં પ્રવેશી દાદા ના દર્શન કરી ધૂન બોલાવતા ભાવિકો બપોર નો મહા-સાદ ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે લઈ બપોર પછી પ્રસ્‍થાન કયું હતું. દર વર્ષે પાલીતાણા તાલુકાના ગ્રામ્‍ય ખાખરીયા કુંભણ બડેલી નવાગામ આકોલાળી હણોલ ધામેલ દામનગર સહિત ના ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારો માંથી અસંખ્‍ય મહિલા ઓ સહિત શ્રધ્‍ધાળુ ભાવિકોનો વિશાળ પદયાત્રા સંધ પંદર દિવસે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શને પહોંચે છે અને ધજારોહણ કરે છે આ પદયાત્રા માં દ્વારકાધીશ મંદિર ના પૂજારી પણ દર વર્ષે સૌરાષ્‍ટ્ર પધારી પદયાત્રા દરમ્‍યાન ભાવિકો ને મળે છે.  (તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર, દામનગર)

(10:58 am IST)