Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

વાંકાનેરના યુવાનનો ચોટીલામાં આપઘાત

ચોટીલા તા. ૧૦ : વાંકાનેરનાં નવા પરામાં રહેતો ૨૪ વર્ષનો યુવાન કાનજીભાઈ પ્રેમજીભાઇ એ બુધવારના ચોટીલા હાઇવે ઉપર આવેલ આકાશ પેલેસ ગેસ્‍ટ હાઉસનાં રૂમમાં ઉતર્યા હતા જે ગુરૂવારનાં બપોર સુધી રૂમ બહાર ન નિકળતા સંચાલકને અજુગતું લાગતા પોલીસને જાણ કરતા પોલીસે બીજી ચાવી વડે રૂમ ખોલતા યુવાન પંખા સાથે લટકતી હાલતમાં મૃત્‍યું પામેલ હાલતમાં મળી આવતા લાશને ઉતારી પીએમ માટે ખસેડવામાં આવેલ હતી.

મરણ જનારના પરિવારજનોએ આત્‍મહત્‍યા અંગે કોઇ જ કારણ ન હોવાનું જણાવ્‍યું છે પોલીસે પ્રાથમિક તપાસમાં યુવાન સામાન્‍ય પગારમાં મોબાઇલ શોપમાં નોકરી કરતો પરંતુ મોંઘા મોબાઇલ ફોન સહિતની વૈભવી લાઇફ સ્‍ટાઇલમાં જીવતો હોવાનું જણાવ્‍યું છે. તેમજ આત્‍મહત્‍યા અંગે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(4:50 pm IST)