Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

પતિના વિરહમાં કણઝાધારના મહિલાએ ચીકુના ઝાડ સાથે લટકી ગળાફાંસો ખાધો

સરદારગઢની પરિણીતાનો ગળાફાંસો ખાયને આપઘાત

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૦ : પતિના વિરહમાં કણઝાધાર ગામના મહિલાએ ચીકુના ઝાડ સાથે લટકીને ગળાફાંસો ખાય લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

વંથલી નજીકના કણઝાધાર ગામે રહેતા ૪૫ વર્ષીય રમાબેન દેવાયતભાઇ વાગેચાના પતિ દેવાયતભાઇનું એકાદ મહિના અગાઉ મૃત્‍યુ થયેલ.

પતિના મોતનું લાગી આવતા રમાબેને ગઇકાલે ચીકુના ઝાડ ઉપર પ્‍લાસ્‍ટીકની દોરી વડે ગળાફાંસો ખાયને મોતને મીઠું કરી લીધું હતું. મહિલાના આપઘાત અંગે હેડ કોન્‍સ્‍ટેબલ ટી.એચ.મેવાડા ચલાવી રહ્યા છે.

માણાવદર તાલુકાના સરદારગઢ ગામના દિવ્‍યાબેન ગોપાલભાઇ સોલંકી નામના ૨૫ વર્ષીય પરિણીતાએ ધૂળેટીના બીજા દિવસે પોતાના ઘરે લોખંડના પાઇપ સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાયને આત્‍મહત્‍યા કરી લીધી હતી. પરિણીતાના આપઘાત પાછળનું કારણ મેળવવા કેશોદના ડીવાયએસપી બી.સી.ઠક્કર તપાસ ચલાવી રહ્યા છે

(11:04 am IST)