Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

સુરેન્‍દ્રનગર પાટડી વર્ણીન્‍દ્રધામમાં ત્રીદિવસીય મહોત્‍સવ

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા. ૧૦ : સુરેન્‍દ્રનગર પાટડી વર્ણીન્‍દ્રધામ ખાતે ત્રણ દિવસ સુધી ભવ્‍ય મંગલ મહોત્‍સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં નિત્‍ય મહાઅભિષેક દરરોજ સવારે ૫ વાગ્‍યાથી ૭ સુધી રહેશે. પ્રથમ દિવસે ૫૦૦ લીટર દૂધ, બીજા દિવસે ૫૦૦ ફૂલની પાંખડીનો અને ત્રીજા દિવસે વિવિધ રંગોથી અભિષેક કરવામાં આવશે. અને વિષ્‍ણુસહષા નામના પાઠ દ્વારા ઠાકોરજીનું પૂજન કરવામાં આવશે.

જે અંતર્ગત મહોત્‍સવના ત્રણ દિવસ દરમિયાન અનેકવિધ સામગ્રીથી સંતો ભક્‍તો દ્વારા તુલસીદલ,પુષ્‍પ પાંખડી ,તથા ચરણ અભિષેક દ્વારા એક એક શ્‍લોક ઉપર પૂજન કરવામાં આવશે.૨૫ કુંડી જલાભિષેકમાં સંતો ભક્‍તો દ્વારા સ્‍વામીનારાયણ મહામંત્રના ગાન સાથે કેસર જળથી ભગવાનનો અભિષેક થશે.

(11:05 am IST)