Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ખીરસરા ગુરુકુળના સંતો દ્વારા મા ઉમિયાજીનો ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો

ખીરસરા : ગુરુકુળના સંતો દ્વારા સીદસર ગામે આવેલમાં ઉમિયાજીના મંદિરે સંતો હરિભક્‍તો અને ગુરુકુળના બાલ બાલિકાઓએ ખૂબ ધામધૂમ પૂર્વક રાસ ગરબા પિરામિડ નળત્‍ય અને લાકડી પર ચાલતા વિદ્યાર્થીઓ દ્વારા ધ્‍વજારોહણનો એક અદભુત અને અનોખો કાર્યક્રમ યોજાયો. જેમાં સીદસર મંદિરના તમામ ટ્રસ્‍ટીઓએ આ કાર્યને જોઈને કહ્યું સનાતન ધર્મનો એક અદભુત દાખલો બેસાડી એક અનોખી નવી પહેલ કરી છે. ત્‍યારે ટ્રસ્‍ટીઓએ સંતોનું સ્‍વાગત સન્‍માન કર્યું હતું અને આ સમગ્ર ધ્‍વજારોહણ કાર્યક્રમના સૌજન્‍ય સુશીલાબેન દશરથભાઈ પટેલ USA હતા. આ પ્રસંગે ખીરસરાથી પૂ.નારાયણ સ્‍વરૂપ સ્‍વામી તથા ધર્મ સ્‍વરૂપ સ્‍વામી તેમજ જામજોધપુર સ્‍વામિનારાયણ મંદિરના કોઠારી પૂ.જે.પી સ્‍વામી ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : દર્શન મકવાણા ખીરસરા)

(11:08 am IST)