Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

જામજોધપુરના ધુનડા સતપુરણધામ આશ્રમે પુનમ નિમિતે પૂ. જેન્‍તીરામ બાપાનો સત્‍સંગ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૬ :.. જામજોધપુરથી ર૧ કિ.મી.ના અંતરે આવેલ ધુનડાના સતપુરણધામ આશ્રમ ખાતે પૂનમ નિમિતે રાત્રે ૯ કલાકે પૂ. જેન્‍તીરામબાપાનો સત્‍સંગ યોજાનાર છે.

જેમાં પૂ. જેન્‍તિરામ બાપા હોળી ધુળેટી પર્વની ઉજવણી પાછળ ના હાર્દ સત્‍સંગ દ્વારા જણાવશે અને ભકત પ્રહલાદની ભગવાન પ્રત્‍યે શ્રધ્‍ધા અને કસોટીમાંથી કેમ પાર આવેલ તેનું વર્ણન કરશે. આ અવસરે દેશ - વિદેશના ભાવિકો સત્‍સંગનો લાભ લેવા આવનાર હોય જેને ધ્‍યાનમાં લઇ તમામ તૈયારી થઇ ચૂકી છે.

(11:36 am IST)