Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

સમસ્‍ત ટાઢાણી પરિવારના કુળદેવી ખોડીયાર માતાજીનો કાલથી ત્રણ દિવસ મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

શોભાયાત્રા, લાકડાયરો, ધુન ભજનના કાર્યક્રમો

  (ધર્મેશ કલ્‍યાણી દ્વારા)જસદણ તા. ૧૦  : રાજકોટ ભાવનગર હાઇવે ઉપર બળધોઈ ગામ નજીક ડુંગર ઉપર સમસ્‍ત ટાઢાણી પરિવારના કુળદેવી ખોડીયાર માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર  કરીને નુતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્‍યું છે જેમાં માતાજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ તા. ૧૧-૩  થી  ૧૩-૩  (શનિ થી સોમ)સુધી ભવ્‍યતાથી યોજાશે. આચાર્ય પદે શાષાીજી ચિંતનભાઈ પંડ્‍યા વેદોક્‍તવિધિ કરાવશે તથા મંદિરના મહંત મહેન્‍દ્રપરી ગોસ્‍વામી ઉપસ્‍થિત રહેશે. તારીખ ૧૧ ને શનિવારે સવારે આઠ કલાકે હેમાદ્રી ૯ થી ૧૨ ગણપતિ પૂજન, સરસ્‍વતી પુણ્‍ય વાંચન, મંડપ માતળકા પૂજન ગળહ શાંતિ તથા બપોરે ૧૨ થી ૨ ભોજન -સાદ બપોરે બે થી ૪.૪૫  સુધી મૂર્તિની શોભાયાત્રા, સાંજે ૫ કલાકે ધાન્‍યધિવાસ  તેમજ તા.૧૨ને રવિવારે સવારે ૮ થી ૧૨ પ્રધાન હોમ જલાદીવાસ બપોરે ભોજન તથા તા.૧૩ને સોમવારે પ્રાણ પ્રતિષ્‍ઠા આરતી તેમજ બપોરે ત્રણ કલાકે બીડું હોમવામાં આવશે.

તા.૧૨ને રવિવારે રાત્રે ૯ કલાકે લોક ડાયરો યોજાશે. જેમાં લોકસાહિત્‍યકાર હિતેશભાઈ અંટાળા, યોગીતાબેન પટેલ, હર્ષ પીપળીયા સહિતના કલાકારો રમઝટ બોલાવશે. ત્રણ દિવસ દરમિયાન ધૂન, ભજન, આરતી, સ્‍તુતિ, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સમસ્‍ત ટાઢાણી પરિવારના લોકોએ ઉપસ્‍થિત રહેવા કાળુભાઈ ખીમજીભાઈ ટાઢાણીની યાદી જણાવે છે.

(4:52 pm IST)