Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ટંકારા પાસે નદી કાંઠે ઝાડ સાથે ચુંદડી બાંધી સગીર અશ્વિન તલાટેનો આપઘાત

નેસડા સુરજી ગામે આધેડ રમેશભાઇ પંચાલે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૦ : ટંકારામાં જીજુ નદીના કાંઠે ઝાડની ડાળી સાથે ચુદડી વડે ૧૬ વર્ષીય સગીરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે.

ટંકારાના જીવાપર ગામની સીમમાં કેશુભાઈ પચોળીયાની વાડીએ રહેતા ૧૬ વર્ષીય યુવક અશ્વિન ધારજીભાઈ તલાટે જીજુ નદીના કાંઠે નવા હનુમાનજી મંદિરની સામે લીમડાના ઝાડની ડાળી સાથે ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જયારે સ્‍થાનિકો મંદિર પાસેથી પસાર થયા એ સમયે અશ્વિનના મૃતદેહને નિહાળીને ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તુરંત સ્‍થળ પર દોડી જઈને મૃતદેહને પી એમ માટે ખસેડવામાં આવ્‍યો હતો તો ટંકારા પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.

ટંકારાના નેસડા સુરજી અનુસૂચિત વાસમાં રહેતા ૪૩ વર્ષીય રમેશભાઈ લાલજીભાઈ પંચાલે પોતાના ઘરે અગમ્‍ય કારણોસર ગળે ફાંસો ખાધો હતો. જેને પગલે તેના પરિજનો દ્વારા તેને ટંકારાની સરકારી હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ટંકારા પોલીસેતપાસ હાથ ધરી છે.

(12:51 pm IST)