Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ઓળીયા ગામના નીંબાર્ક આશ્રમે જૈન મહારાજશ્રીઓની પધરામણી

(દિપક પાંધી) સાવરકુંડલા : જૈન દેરાસર ખાતે જયસુંદર સુરી મહારાજ અને પ્રેમસુંદરસુરી મહારાજ સહિત આદીથાણા ૧૪ મહારાજશ્રીઓએ જૈન જૈનેતર સમાજેને સતત ૧૫ દિવસ સુધી ધર્મ લાભ આપ્‍યો હતો. બાદમાં બધા મહારાજશ્રીઓ અમરેલી તરફ જવા વિહાર યાત્રાએ નીકળ્‍યા હતા. અને ઓળિયા ગામે આવેલા નીંબાર્ક આશ્રમે ખાતે પધરામણી કરી હતી. અહીં નીંબાર્ક આશ્રમના રામદાસજી મહારાજે સ્‍વાગત કર્યું હતું અને જયસુંદર સુરી મહારાજ સાથે ધર્મ સત્‍સંગ કર્યો હતો. બાદમાં ગુરૂવારે સવારે વિદાય આપી હતી. મહારાજશ્રીઓની વિહાર યાત્રા સમયે જૈન સમાજના આગેવાન ભૂપેશભાઇ મહેતા, પીન્‍ટુભાઇ દોશી અને સેવાભાવી કાર્યકર સુરેશભાઇ ખત્રી વગેરે ઓળીયાના નિંબાર્ક આશ્રમ સુધી મહારાજશ્રીઓની સાથે રહ્યા હતા.

(12:59 pm IST)