Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

જેતપુરમાં વૈશ્‍ણવાચાર્ય કૃષ્‍ણ કુમારજીનો ભવ્‍ય સ્‍વાગત સમારોહ યોજાશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૦ :.. શહેરના સુદામાનગર વિસ્‍તારમાં આવેલ શ્રી પુરૂષોતમધામ હવેલી ખાતે બિરાજતા વૈષ્‍ણવાચાર્ય પૂ. કૃષ્‍ણકુમારજી મહોદય નાદુરસ્‍ત તબીયતના કારણે પધારેલ ન હોય તબીયત સારી થઇ જતા આગામી તા. ૧ર-૩-ર૩ રવિવારના રોજ સહ પરીવાર પધારતા હોય. તેઓના ભવ્‍ય સ્‍વાગત સમારોહનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સાંજે પાંચ કલાકે શોભાયાત્રા દ્વારા સામૈયુ કરાશે આ શોભાયાત્રા ધોરાજી રોડ ફાયર એસીથી શરૂ થઇ હવેલી ખાતે ધર્મસભામાં ફેરવાશે જયાં વૈશ્‍ણાચાર્ય પૂ. કૃષ્‍ણકુમારજી મહોદય તેમજ પૂ. આશ્રયકુમારજીના વચના મૃત થશે બાદ નંદ મહોત્‍સવ સાંજે ૭ કલાકે શ્રીના મનોરથ દર્શન થશે તો આ કાર્યક્રમનો લ્‍હાવોલેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે, પૂ. કૃષ્‍ણકુમારજી મહોદય ઘણા લાંબા સમય બાદ પધારતા હોય તેનું સ્‍વાગત કરવા રમેશભાઇ ધડુક (સાંસદ), જયેશભાઇ રાદડીયા (ધારાસભ્‍ય), જસુમતીબેન કોરાટ, ગોરધનભાઇ ધામેલીયા, રાજૂભાઇ હિરપરા, વિરજીભાઇ વેકરીયા, અશોકભાઇ રાદડીયા, મનસુખભાઇ ખાચરીયા સહિતના શહેરના આગેવાનો તેમજ નજીકના ગ્રામ્‍ય વિસ્‍તારના વૈશ્‍ણવો ભારે સંખ્‍યામાં ઉમટી પડશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી પુરૂષોતમધામ સેવા સમિતિ, યુવક-મહિલા મંડળ, શ્રી વ્રજધામ સેવા સમિતિ (નવાગઢ) સહિતના જહેમત ઉઠાવી રહ્યા  છે..

(1:15 pm IST)