Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

૧૯મીએ અમિતભાઇ શાહ, ભુપેન્‍દ્રભાઇ પટેલ જુનાગઢમાં: ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કરશે ?

કેન્‍દ્રીય ગૃહમંત્રી અને મુખ્‍યમંત્રીની ગિરનારની પણ મુલાકાત લેવાના હોવાના અહેવાલ : ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કરશે ?

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૦ : અમીતભાઇ શાહ અને ભુપેન્‍દ્રભાઇ પટેલ આગામી ૧૭ માર્ચના રોજ જુનાગઢ આવી રહયા હોવાનું જાણવા મળેલ છે.

 

કેન્‍દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના જુનાગઢના પ્રવાસ - મુલાકાતને લઇ કોઇ સતાવાર માહિતી પ્રાપ્‍ત થઇ નથી.

જો કે બંને મહાનુભાવોનાં જુનાગઢ પ્રવાસનો અને તેમના હસ્‍તે ઉપરકોટ કિલ્લાના લોકાર્પણનો તખ્‍તો ગોઠવાય રહયો હોવાનું જાણવા મળેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જુનાગઢની આન બાન અને શાન સમાન ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાને કરોડો ખર્ચે નવા રૂપરંગ આપવામાં આવેલ છે. અત્‍યારે ઉપરકોટ રિનોવેશનનું કામ પુર્ણ થઇ ગયુ છે. જેથી આગામી ૧૭ માર્ચે કેન્‍દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને સીએમ શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલનાં હસ્‍તે ઉપર કોટ કિલ્લાનું લોકાર્પણ કરવામાં આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

બંને મહાનુભાવો જુનાગઢ પ્રવાસન દરમિયાન ગિરનાર પર્વતની પણ વિઝીટ કરવાનાં હોવાનું પણ જાણવા મળે છે.

(1:17 pm IST)