Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

શ્રી દ્વારકાધીશ ભગવાનનાં ૮' દિ માં ૬.૧૬.૧૬૫ ભાવિકોએ દર્શન કર્યા

(દિપેશ સામાણી દ્વારા) દ્વારકા,તા.૧૦ : હોળી-ધુળેટી પર્વમાં દર વર્ષે મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી  પડે છે. આ વર્ષે પણ તા.૧ થી તા. ૮ સુધી ૮ દિવસમાં ૬.૧૬.૧૬૫ ભાવિકોએ દ્વારકાધીશ ભગવાનના દર્શન કરીને ધન્‍યતા અનુભવી હતી.

દ્વારકાધીશ ભગવાનના દર્શને તા. ૧/૩/૨૩ના ૧૭૦૯૮ ભાવિકો, તા. ૨/૩/૨૩..૨૬૫૪૪, તા. ૩/૩/૨૩.. ૬૩૨૭૨, તા. ૪/૩/૨૩.. ૯૭૧૬૦ તા. ૫/૩/૨૩ ..૧૨૬૨૮૦, તા.૬/૩/૨૩.. ૧૩૨૮૨૭, તા. ૭/૩/૨૩.. ૮૭૨૨૦ અને તા. ૮/૩/૨૩.. માં ૬૫૭૬૪ ભાવિકો આવ્‍યા હતા.

(1:20 pm IST)