Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

સુરેન્‍દ્રનગરની કેનાલમાં પતિ-પત્‍ની અને પુત્રીનો આપઘાત

મૃતકોની ઓળખ મેળવવા તથા આપઘાતનું કારણ જાણવા પોલીસ તપાસનો ધમધમાટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૦ : સુરેન્‍દ્રનગરમાંથી પસાર થતી કેનાલમાં પતિ, પત્‍ની અને પુત્રીએ ઝંપલાવીને મોત મીઠું કરી લીધું છે. મૃતકોની ઓળખ મેળવવા તથા આપઘાતના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ સુરેન્‍દ્રનગર શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં એક સાથે એક જ પરિવારના પતિ, પત્‍ની અને પુત્રીએ કેનાલમાં ઝંપલાવી અને આત્‍મહત્‍યા કરી લીધી છે ત્‍યારે હાલમાં સુરેન્‍દ્રનગર શહેર અને તેના તાલુકા મથક હોય આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા.આ અંગેની જાણકારી મળતા તાત્‍કાલિક અસરે સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક સહિતની ટીમો ઘટના સ્‍થળ ઉપર પહોંચી અને તરવૈયાની ટીમો બોલાવી અને ત્રણેય મૃતદેહોને શોધી અને બહાર કાઢવામાં આવ્‍યા છે ત્‍યારે હાલમાં ત્રણેય વ્‍યક્‍તિઓ આત્‍મહત્‍યા કરી છે તે કંઈક જ્ઞાતિના છે કોણ છે કે આ કારણોસર આત્‍મહત્‍યા કરી જેની હાલમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્‍યારે તેના ઉપર ત્રણની આત્‍મહત્‍યાના બનાવે ભારે મચાવી દીધો છે. હાલમાં ત્રણેયના ડેડ બોડીને પાણીમાંથી શોધી અને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્‍યા છે ત્‍યારે ઓળખ મેળવાય રહી છે અને હાલમાં તાત્‍કાલિક અસરે તેમને સુરેન્‍દ્રનગર મહાત્‍મા ગાંધી હોસ્‍પિટલ ખાતે પીએમ માટે ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. હજુ આગળની વિગતો મેળવાઈ રહી છે.

(4:01 pm IST)