Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

તા.12 માર્ચના રોજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગર ખાતેથી 151 બસોનું લોકાર્પણ કરશે


---પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં કેબીનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ અને  મુળુભાઈ બેરા ઉપસ્થિત રહેશે

  ફોટો

જામનગર આગામી તા.12 માર્ચને રવિવારના રોજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે છે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેથી તેમના વરદ હસ્તે 151 નવીન બસોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે.

 આ કાર્યક્રમમાં કેબિનેટમંત્રીઓ રાઘવજીભાઈ પટેલ,  મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જામનગર(ઉત્તર)ના ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજા, જામનગર(દક્ષિણ)ના ધારાસભ્ય  દિવ્યેશભાઈ અકબરી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

(12:10 am IST)