Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

23મીએ લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૮ માર્ચ સુધીમાં અરજી કરવી

અમરેલી:અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, લાઠી મામલતદાર કચેરી ખાતે આગામી તા.૨૧ માર્ચ, ૨૩ને મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાશે. તાલુકા કક્ષાના અધિકાર વાળા બાકી હોય તેવા સરકારી કામો માટે અરજદારે સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાય અંગત પ્રશ્ન રજૂ કરવા માંગતા હોય તો તે અરજી તા.૧૮  માર્ચ,૨૩ ના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં રુબરુ કે ટપાલમાં પહોંચાડી દેવી. સમય મર્યાદા વિત્યે અરજી ધ્યાને લેવામાં આવશે નહિ. અરજીના મથાળે ''તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'' અવશ્ય લખવું, તેમ લાઠી તાલુકા મામલતદારએ યાદીમાં જણાવ્યું છે

   
(12:38 am IST)