Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ગારીયાધાર વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નવમો સમૂહ લગ્ન સમારોહ યોજાયો

21 નવદંપતિઓએ નવજીવનમાં પ્રભુતાના પગલા પાડ્યા

ગારીયાધાર વાલ્મિકી સમાજનો નવમો સમૂહ લગ્ન સમારોહ તા. 10/3/23 ને શુક્રવારના રોજ કે. વી. વિદ્યાલય ની બાજુમાં મેદાનમાં ગારીયાધાર ખાતે સંપન્ન થયો હતો.

  આ સમૂહ લગ્ન સમારોહમાં વાલ્મિકી સમાજના 21 યુગલોએ નવજીવનની શરૂઆત કરવામાં આવી હતી આ લગ્ન સમારોહમાં જુનાગઢ ત્રિકમ સાહેબની જગ્યાના મહંત પ્રકાશગીરી બાપુ,મુખ્ય દાતા વલ્લભભાઈ માણીયા, જાદવભાઈ કુકડીયા,વાલ્મિકી સમાજના મધુભાઈ નૈયા, દિનેશભાઈ વણઝારા,હિંમતભાઈ માણીયા, સરસ્વતી ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલીના સેવા ટીમ સહિતના આગેવાનો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

  આ સમૂહ લગ્ન સમારોહ દરમિયાન વાલ્મિકી સમાજના દાતાઓ વિદ્યાર્થીઓ અને સમાજના શ્રેષ્ટીઓનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું હતું આમ ગારીયાધાર વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટનો નવમો સમૂહ લગ્ન સમારોહ સંપન્ન થયો હતો.

(12:44 am IST)