Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

દામનગરના ભૂરખિયા હનુમાનજી મંદિરે દર્શન બંધ રહેશે

દામનગર,તા.૧૦: શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિરમાં તા. ૩૦મી સુધી દર્શન બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

કોરોના સંક્રમણને ધ્યાને લઇ લાઠી તાલુકાના મદદનીશ કલેકટરશ્રી ઉત્સવ ગૌતમ સાથે પરામર્શ કરી ભૂરખિયા મંદિર પ્રશાસન મંદિર પુજારી પરિવાર તથા ભુરખિયા ગ્રામ પંચાયત દ્વારા લીધેલા સ્વૈચ્છિક નિર્ણય અનુસાર આગામી તા. ૧૪ થી ૩૦ સુધી મંદિરમાં દર્શન સદંતર બંધ રહેશે. તેમજ સંસ્થા દ્વારા ચાલતુ ભોજનાલય ચા કેન્ટીંગ તથા ઉતારા વ્યવસ્થા તદ્દન બંધ રાખવામાં આવેલ છે.

(10:20 am IST)