Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

મોરબીમાં લોકડાઉનમાં જરૂરી ફેરફારો કરી છૂટ આપવા વેપારી મહામંડળની માંગ

મોરબીમાં કોરોના મહામારીને પગલે મીની લોકડાઉન લાગુ છે અને જીવનજરૂરી સિવાયની દુકાનો બંધ છે ત્યારે મોરબી વેપારી મહામંડળ દ્વારા લોકડાઉનમાં છૂટ આપવા અને ફેરફાર કરવાની માંગ કરી છે
મોરબી વેપારી મહામંડળના પ્રમુખ દિનેશભાઈ કંસારા દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબીમાં લોકડાઉન લાગેલ છે તેમાં છૂટ આપવામાં આવે અને જરૂરી ફેરફાર કરાય તે જરૂરી છે મોરબીના સામાન્ય રીટેલ વેપારી વર્ગમાં વેપાર ધંધા બંધ હોવાથી વેપારીઓ આર્થિક તેમજ માનસિક રીતે ભાંગી પડ્યા છે જેથી લોકડાઉનમાં ફેરફાર કરીને વેપારીને રાહત થાય તેમજ વેપાર ધંધા કરી સકે તેવો નિર્ણય કરવા માંગ કરાઈ છે

(6:42 pm IST)