Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ગીર જંગલમાં કનકાઇ ધામમાંથી માતાજીની તલવારની ચોરીથી ચકચાર

દાનપેટીમાંથી પણ હાથફેરો કર્યો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૦ : ગીર જંગલમાં આવેલ કનકાઇ ધામમાંથી તસ્કરોએ માતાજીની તલવારની  ચોરી અને દાનપેટી હાથફેરો કરતાં ચકચાર મચી ગઇ છે.

વિસાવદર નજીક ગીર જંગલમાં આવેલ કનકાઇ માતાજીનાં મંદિરને રાત્રીના સમયે તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું. તસ્કરોએ મંદિરમાંથી દાનપેટીમાંથી રૂા. ૧૦ થી ૧૫ હજારનાં પરચુરણની ચોરી કરી હતી. ચોરીની ઘટનાથી માઇભકતોમાં રોષ ફાટી નીકળ્યો છે.

આ અંગે હરિભાઇ ઇશ્વરલાલ જાનીએ જાણ કરતાં વિસાવદર પોલીસે દોડી ગઇ હતી. અને ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ હેડ કોન્સ. ડી.ટી.ગીયડ ચલાવી રહ્યા છે.

(1:06 pm IST)