Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

જામનગરના વોર્ડ નંબર ૬ મા દિગ્જામ સર્કલ પાસેના રેલવે ઓવર બ્રિજના નિર્માણ બાદ પણ છેલ્લા કેટલાય સમયથી લોકાર્પણ નથી કરવામાં આવ્યું તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ અને વિરોધ પક્ષ દ્વારા ડેપ્યુટી કમિશનરની ખાલી ખુરશી ને આવેદનપત્ર પાઠવ્યું

જામનગર:::જામનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ અને વિરોધ પક્ષ દ્વારા ડેપ્યુટી કમિશનરની ખાલી ખુરશી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જામનગરના વોર્ડ નંબર 6 માં આવેલા દિગ્જામ સર્કલ પાસેના રેલવે ઓવર બ્રિજના નિર્માણ થઇ ગયા બાદ પણ છેલ્લા કેટલાય સમયથી લોકાર્પણ નથી કરવામાં આવ્યું તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ અને વિરોધ પક્ષના કોર્પોરેટરો વિપક્ષી નેતા ની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવવા માટે કમિશનર અને ડેપ્યુટી કમિશનરની ચેમ્બરમાં પહોંચ્યા હતા. ત્યારે કોઈ પણ અધિકારીઓ હાજર ન હતા. જેથી ડેપ્યુટી કમિશનરની ખાલી ખુરશી ને આવેદન આપી અનોખી રજૂઆત કરવામાં આવી છે. બીજાં સર્કલ પાસેના રેલવે ઓવરબ્રિજ ને તાત્કાલિક લોકાર્પણ કરી આ બ્રિજને ડો. બાબાસાહેબ ભીમ રાવ આંબેડકર બ્રિજ નામકરણ કરવાની માગણી કરવામાં આવી છે.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(2:40 pm IST)