Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

જામનગરમાં લીલાવતી નેચર કયોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત યોગ ગરબાના કાર્યક્રમને ખુલ્લો મુકતા -ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગર : ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત લીલાવતી નેચર કયોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર, જામનગર દ્વારા લીલાવતીબેન શાહની પ્રથમ પુણ્યતિથીએ બે દિવસીય યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને આજરોજ અન્ન અને નાગરીક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યો હતો. આ યોગ કાર્યક્રમમાં ર દિવસ દરમિયાન ૮૦૦ બહેનો ભાગ લેશે. મંત્રીશ્રીએ ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા જામનગરમાં કરવામાં આવતા શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રના યોગદાનને બિરદાવી આયોજન બદલ શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં મેયરશ્રી બીનાબેન કોઠારી, ગુજરાત આયુર્વેદ  યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી અનુપ ઠાકર, પ્રાંત અધિકારી  શહેર આસ્થાબેન ડાંગર, અગ્રણી ઉદ્યોગપતિશ્રી આર. કે. શાહ અને યોગકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)

(1:10 pm IST)