Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

પ્રભાસ પાટણના ઇણાજમાં પ્રભારી સચિવની બેઠક

પ્રભાસ પાટણ : ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે કરવામાં આવેલ કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા પ્રભારી સચિવશ્રી દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને  જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે કોવિડ-૧૯ની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

  તેઓશ્રીએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને સાવચેતી રાખવા માટે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમાણ નાથવા આરોગ્ય વિભાગ દ્રારા શંકાસ્પદ દર્દીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસથી વધુ લોકો સંક્રમિત ન થાય તે માટે જરૂરી પગલા લેવા કહ્યું હતું કે, કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે ખાસ તકેદારી રાખવા અને આરોગ્ય વિભાગને પુરતા પ્રમાણમાં પ્રયાસો કરવા તેમજ ધનવંતરી આરોગ્ય રથ દ્રારા વધુમાંવધુ લોકોના આરોગ્યની તપાસ થાય તે માટે સુચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ચેતન મહેતાએ પાવર પ્રેઝેન્ટેશન દ્રારા કોવિડ-૧૯ની અંગેની માહિતી આપી હતી. આ પ્રસંગે કલેકટરશ્રી અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, અધિક કલેકટરશ્રી પ્રજાપતિ, પ્રાંત અધિકારીશ્રી સરયુ ઝનકાર, નાયબ કલેકટરશ્રી ભાવનાબા ઝાલા, એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.નિમાવત, ડો.બામરોટીયા, આર.એમ.ઓ.ડો.જે.એસ.પાધરેસા, ચીફ ઓફિસર જતીન મહેતા અને આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા બેઠક મળી તે તસ્વીર (તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસ પાટણ)

(11:29 am IST)