Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ગિરનાર રોપ-વે ખૂબ જ નજીકના ભવિષ્યમાં કાર્યાન્વિત થશે : યાત્રિકોને 2800 ફૂટની ઊંચાઈએ આવેલા અંબાજી મંદિર સુધી માત્ર ગણતરીની મિનિટોમાં પહોંચાડી દેશે : એશિયાના સૌથી ઊંચા અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ડ્રીમ પ્રોજેક્ટ ગિરનાર રોપ-વેની સાઇટ વિઝીટ લેતા ભાજપના આગેવાનો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ:::એશિયાના સૌથી ઊંચા અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિરનાર રોપ-વેની સાઇટ વિઝીટ આજે ભાજપના આગેવાનોએ કરી હતી.

જૂનાગઢના સંસદસભ્ય રાજેશભાઇ ચુડાસમા, મેયર ધીરુભાઈ ગોહેલ,ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળના સભ્ય પ્રદીપભાઈ ખીમાણી, ડેપ્યુટી મેયર હીમાંશુભાઈ પંડ્યા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા,મહામંત્રી પુનિતભાઈ શર્મા તથા ભરતભાઇ શીંગાળા, અગ્રણી  નટુભાઈ પાટોળીયા,ધરમણભાઈભાઈ ડાંગર,લાલિતભાઈ સુવાગિયા,મનનભાઈ અભાણી, વનારાજભાઈ સોલંકી. આ તકે ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓ શ્રી પવાર ,દિનેશભાઈ પુરોહિત વિગેરેએ ઉપસ્થિત રહી માહિતી આપી હતી

રોપ-વે ખૂબ જ નજીકના ભવિષ્યમાં કાર્યાન્વિત થશે . આ રોપ-વે પ્રોજેક્ટ 2,216.40 મીટરની લંબાઈ ધરાવે છે. જે યાત્રિકોને 2800 ફૂટની ઊંચાઈએ આવેલા અંબાજી મંદિર સુધી માત્ર ગણતરીની મિનિટોમાં પહોંચાડી દેશે.

(7:00 pm IST)