Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ભાવનગરથી અજમેર શરીફ સાઈકલ યાત્રા

 ભાવનગરઃ મેડીકલ કોલેજમાં હેડ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અયુબભાઈ હસનભાઈ શેખ તથા યાસીનભાઈ હુસેનભાઈ પરમાર ભાવનગરથી અજમેર શરીફ સાઈકલ પર જવા રવાના થયા હતા. તેમને વિદાય આપવા અને સામુહિક દુવા માટે શહેરની ઘાંચીવાડ મસ્‍જીદ પાસે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત પૂર્વ નગર સેવક કાળુભાઈ બેલીમે જણાવ્‍યુ હતુ કે ભાવનગરથી અજમેર ૭૫૦ કિ.મી.નું અંતર થાય છે. સાઈકલ ઉપર ૧૦ દિવસ થાય છે. અયુબભાઈ અગાઉ ત્રણ વાર પગપાળા ભાવનગરથી અજમેર ગયા છે. દેશભરમાં ખ્‍વાજા સાહેબનો દરબાર કોમી એકતા અને ભાઈચારાનું પ્રતિક છે. આ કાર્યક્રમમાં વિશ્વભરમાંથી કોરોના મહામારી દૂર થાય દેશમાં કોમી એકતા ભાઈચારા અને એખલાસનો માહોલ કાયમ રહે તેવી સામુહિક દુવાઓ કરવામાં આવી હતી. સાઈકલ યાત્રિકોને વિદાયમાન અપાયુ તે તસ્‍વીર


 

(10:15 am IST)