Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

કાલે પૂ.જલારામબાપાની જન્મજયંતિ : પૂ. વિરબાઇમાંની પૂણ્યતિથી

કાલે પૂ.જલારાબાપાની ૨૨૨મી જન્મજયંતિ છે. કાલે ગામે-ગામે અનેકવિધ સેવકાર્યો કરવામાં આવશે.

આવતી કાલે કારતક વદ નોમના દિવસે પૂજય જલારામ બાપા ના અર્ધાંગના માં વીરબાઈમાંની ૧૪૩ મી પૂર્ણ્યતિથી છે, જલારામ બાપા ની જીવન સાધનામાં જો સૌથી વધુ ત્યાગ કોઈ નો હોય તો તે છે તેમના ધર્મપત્ની માતુશ્રી વીરબાઈ માંનો ભકત જલારામ બાપાએ રોપેલી ધર્મની ધજાની દાંડી જે સ્થિર ઉભી છે તેનાં પાયામાં માતા વીરૂમાંનો ત્યાગ રહેલો છે, બધા વીરબાઈ માંને પ્યાથી વિરુમાં બોલાવતાં, ભકતો સંતોના જીવન જોઈએ તો મોટા ભાગના કિસ્સામાં પ્રારંભમાં લોકોએ વિરોધ કર્યો હોય છે અને બહાર ના લોકો સાથે ઘર ના લોકો એ પણ વિરોધ અને અગવડતા ઓ ઉભી કર્યાનું જોવા મળે છે નરસિંહ મહેતા, સંત તુકારામ, સંત તુલસીદાસજી, રાજા ભર્થુહરી, સોક્રેટીસ, જેવા સાધુ સંત રાજકવિ રાજા અને મહાન માણસોનો તેમના પત્ની ઓ એ વિરોધ કર્યો હતો, પણ ભકત જલારામ બાપા એક અલગ પંથ ના પ્રવાસી છે, એમના ધર્મપત્ની માતુશ્રી વીરબાઈ માંએ જિંદગી આખી એમની સાથે કદમ મિલાવી ઉભા રહ્યા અને માનવ સેવાનાં કાર્યોમાં સંપૂર્ણ સાથ અને સહકાર આપ્યો.

માતા વીરબાઈ માં આટકોટ ના ભાગ્યશાળી પિતા પ્રાગજીભાઈ સોમૈયા ના ઘરે જન્મ્યા હતા વિરૂમાંને બે ભાઈ નથુભાઈ અને સંુદરજીભાઈ વીરબાઈ માં એકદમ તેજસ્વી અને સ્વરૂપવાન વ્યકિતત્વ ધરાવતા, નાની ઉંમરે જલારામ બાપા ને પરણી ને વીરપુર આવેલ, સાસુ સસરા ની ઉત્ત્।મ સેવા કરેલ, જલારામ બાપા ના જાત મહેનતનો રોટલો ખાવો જેવા સૂત્ર માં સમાઈ જઈ ને સાથે વાડી ખેતરમાં મજૂરી કરવા જતાં પતિ ના પગલે ચાલનારા પતિવ્રતા સ્ત્રી હતા દિવસ ભર જે દાણા મળે એ જાતે માથે ઊંચકી ઘરે લાવતા અને આખા દિવસ દરમિયાન કામ દરમિયાન વળી રામનુ નામ તો બસ હોઠ પર જ હોય, આવા ધર્મનિષ્ઠ, આવા કર્મનિષ્ઠ, આવા રામનિષ્ઠ, આવા પતિનિષ્ઠ, આવી સ્ત્રી આજના ઘોર કલયુગમાં જોવા મળે તો નવાઈ જ સમજવી, રોજ પાઈ પાઈ બચાવી એ તો એક સમયે અનેક રૂપિયા થાય છે એમ રોજની ધાણીફૂટ મજૂરીના અંતે ચાલીસ મણ દાણો વીરબાઈ માં અને બાપા પાસે ભેગો થયો, વીરૂમાની જલારામ બાપા સાથેની મહેનત રંગ લાવી ખાનારા બે અને આટલો બધો દાણો સુ ખપ નો? એવો વિચાર પૂજય બાપા ને આવ્યો એક દિવસ બાપા એ વીરબાઈ માં ને પ્રશ્ન પૂછ્યો શુ કરશું આટલા બધા દાણા નુ? અને ચતુર નારીને ઈશારો કાફી હોય છે વીરબાઈ માં સમજી ગયા જલારામ બાપા ને કહેઃ મારા તરફથી સહેજ શંકા જેવું રાખશો નહીં, રામનુ નામ લઈ ભૂખ્યાને ટુકડો આપવા નુ શરૂ કરો તમોને ખબર છે જે 'ટુકડો આપે તેને હરી ઢુકડો' આમ ટુકડો ત્યાં હરિ ઢુકડોનુ સૂત્ર માતુશ્રી વીરબાઈ માં એ પ્રથમ આપ્યું, કોઈ કહે કે ન કહે પણ આ સૂત્ર આ શબ્દો આ વાકય જલારામ બાપા પર એટલી અસર કરી કે એમણે સદાવ્રત સ્થાપનાનુ નક્કી કર્યું અને સવંત ૧૮૭૬ના મહા સુદ બીજના દિવસે સદાવ્રતની શરૂઆત કરી જે આજ ૨૦૧ વર્ષથી અવિરત ચાલુ છે.

કહેવાય છે કે સફળ પુરૂષની પાછળ સ્ત્રી નો હાથ હોય છે જલારામ બાપા આ સદાવ્રત કે અન્ન ક્ષેત્ર બાબતે સફળ થયા, નામના પામ્યા, એમાં વીરૂમાંની સૂચક સલાહ અને સાથ કામ કરી ગઈ બાકી અન્ય કોઈ દાણા વેંચી સોનું ખરીદી લે, એવું કહેવું હોય તો કહી શકાય કે વીરબાઈ માં જેવા સ્ત્રી બાપાને ન મળ્યા હોત તો અપાર મુશ્કેલી બાપાને સર્જાત, તેઓ પતિની લાગણી અને ભકિતભાવ ને બરોબર પચાવી સમજી જાણ્યા, અને એને અનુસરવા સદાય તત્પરતા બતાવી, એમ કરતાં દુઃખ આવે તો પણ પરવા નથી કરી પતિ ની છાયા બનીને રહેવા માં આ આર્ય નારીએ સદાય આનંદ અને ગૌરવ અનુભવ્યો છે અને એમના જ સહયોગમાં વીરપુર જયાં જલારામ બાપા રહેતા હતા એ જગ્યાએ સદાવ્રતની શરૂઆત કરી,

બાપા તો દી' આખો હાથ મા માળા કે કિરતાલ લઈ ને પ્રભુ ભકિત કરતાં પણ રસોડું તો માં વીરબાઈમાં જ સંભાળતા વહેલા ઊઠી સાફસફાઈ કરવી, અનાજ દળવું ચૂલા સળગાવવા, લાકડા લીલા હોય તો વાંકા વળીને ફૂકણી થી ફૂકવું, શરીરના ફેફસાંય ઊંચા થઈ જાય, વળી મોટા મોટા તપેલા ચડાવવા એમાં દાળ ઉમેરવી શાકભાજી ધોવી, સમારવી, વધારવી, રોટલા ટીપવા શેકવા આહાહાહા ન જાણે કેટલી મહેનત એ પણ કોના માટે? પોતાના ના માટે નહિ કેવળ સદાવ્રત માટે બીજા માટે આટલું કરતા ભૂખ લાગી છે લાવ ખાઈલવ એવું નહિ અતિથિને જમાડીને ભોજન લેવાનો બન્નેનો નિયમ, વ્રત અતિથી ન હોય તો ભૂખ્યા સૂઈ જાય એમાં એક વખત સદાવ્રતની સ્થિતિ ડામાડોળ થઈ કે ન પૂછો વાત જે મોદી બાપાને કરિયાણું આપતા એમની ઉધારી વધી ગઈ રોકડા પૈસા બાપા પાસે ન હતા મોદીએ ઉધારી ની ના પાડી રસોડામા ભંડારમાં અને બજારમાં ઉધારીમા શું સ્થિતિ છે એનાથી વીરબાઈમાં અજાણ ન હતા એમને બાપાના મુખ પરની ઉદાસી બાદ બાપા ને પૂછ્યું હું તમારી ખરી ને? બાપા કહે હા દેવી એમાં પૂછવા નુ શુ હોય? વીરબાઈમાં કહે તો મારી દરેક વસ્તુ તમારી જ છે તો શુકામ અકડાવ છો મુંજાવ છો મારા દાગીના પણ તમારા જ કેવાય તો જટ જાવ અને દાગીના વેચી મોદી ની ઉધારી ભરી કરિયાણું લઈ આવો બાપા કહે એમ મારા થી તમારા પિયર ના દાગીના ન વેચાય? વીરૂમા કહે જેમ તમને દાગીના પૈસાનો મોહ નથી એમ મને પણ મોહ નથી માટે તુરતજ વેંચી આવો કેટલી ઉમદા ભાવના વીરબાઈ માં આવા ઊંચ ગુણો હતા તેના કેટલા ગુણો લખવા તેઓ સતી સાધ્વી સ્ત્રી હતા પતિ ના સેવા યજ્ઞ મા ખંભે ખંભો મિલાવી ને કામ કરવામાં કયારેય પીછે હઠ નથી કરી.

એકવખત તો હદ થઈ ગઈ કસોટી ના ભાગ રૂપે એ સાધુનુ વીરપુર બાપા ને ત્યાં આગમન થયું જમવા સમયે એ સાધુ પધાર્યા બાપા એ જમવાનો આગ્રહ કર્યો તો એમને જમવાની સ્વીકાર ન કરતા સેવા માટે જલારામ બાપા પાસે એમની ધર્મ પત્ની વીરબાઈ માંની માગણી કરી કહ્યું મારી ઉંમર ખુબ વધી ગયેલ છે શરીર જર્જરિત થઈ ગયેલ છે તો તમારી પત્ની ને મારી સેવા માટે આપો જલારામ બાપા સીધા રસોડા માં ગયા આંગણે આવેલ સાધુ એ જે માંગણી કરી હતી એની અસર બાપાના મોં પર હતી એ વીરબાઈ માં પામી ગયા સવાલ જવાબના અંતે વીરબાઈ માં જાણી ગયા કે સાધુ એમની સેવા માટે મારી માગણી કરી છે.

જલારામ બાપા એ વીરબાઈ માને કહ્યું ભંડારી હવે શું કરું? બાપા વીરબાઈ માંને ભંડારી કહીને બોલાવતાં, એવા જલારામ બાપાના સવાલનો જવાબ વીરબાઈ મા એ તરતજ આપી દિધોઃ આપણે તો સાધુ સંતો ની સેવા કરવી છે બિચારા એમની કાયા હાલતી ચાલતી ન હોય તો આપણે શું ખપ ના? પણ તમારી રજા,મંજૂરી, હોય તો હુ જરૂર થી સાધુ સાથે સેવા માટે જઈશ, બસ, તમે રાજી થઈ ને હા પાડી દો, અને જલારામ બાપા ના હૈયેમાં જાણે આનંદનો અષાઢ અને શાંતિનો શ્રાવણ સળગ્યો હસે, એમ વીરબાઈ માં એ ભારતીય નારીનુ મસ્તક જાણે વિશ્વના તખ્તા ઉપર ઉન્નત કર્યું, એમના ત્યાગ અને પતિભકિતને સો સલામ, આમ બાપા અને માતુશ્રી ના વિચારોમાં એકય જોવા મળે છે ઇતિહાસ સાક્ષી છે એ પછી વીરબાઈ માંએ નાહી ધોઈ કોરા વસ્ત્રો ધારણ કરી કપાળમા ચાંદલો કરી ઓસરીમા આવી જલારામ બાપાને પગે લાગી વીરબાઈ માં કહે ભગત, બોલ્યું ચાલ્યું માફ કરશો તમારી સેવા મા ઉણપ રહી ગયેલ હોય તો મન ન લાવસોને માફ કરશો એમ કહી સાધુ મહાત્મા સાથે રોંઢાટાણે સાધુ સાથે ચાલી નીકળ્યા અને પછી તો કહેવાય છે 'ભગવાન કસોટી કરવા આવ્યા ભગત ની અને ભગવાનને ભાગવું ભારે પડ્યું' વીરપુરના સીમાડે ભગવાન વીરબાઈ માને ઝોળી ધોકો સોંપી ચાલ્યા ગયા બાદમા આકાશ વાણી થઈ કે તમે ઘરે જઈ ઝોળી ધોકાની સેવા કરવી કયારેય અન્ન અન્નક્ષેત્ર મા નહિ ખૂટે ત્યારથી આજ સુધી અવિરત અન્ન ક્ષેત્ર વીરપુરમા ચાલે છે કદી અન્ન ખૂટેલ નથી અને છેલ્લા ઘણા વર્ષો થી ભેટ દાનના પૈસા પણ વીરપુર મંદિર સ્વીકારતું નથી, વીરબાઈ માંને સંતાનમા માત્ર એક પુત્રી હતા, એમના જેવાજ સ્વરૂપ વાન ગુણવાણ ધર્મ પરાયણ દીકરી જમનાબેન અવતર્યા એમાં લગ્ન કોટડાપીઠા પૂજય જસુમાંના દીકરા ભકિતરામભગત વસાણી સાથે થયેલ, જમનાબેનને બે પુત્રો કાળાભગત અને રામજીભગત, કાળાભગત હમેશા વીરપુર બાપા સાથે રહેતા કાળાભગતના દીકરા હરીરામભગત વસાણીને બાપા એ દતક લેતા એ વસાણીમાંથી ચાન્દ્રાણી થાય હરીરામબાપાના દીકરા ગિરધરભગત અને ગિરધરબાપાના દીકરા જયસુખબાપા ને જયસુખરામના દીકરા રદ્યુરામબાપા હાલ વીરપુરના ગાદીપતિ છે એમને છેલ્લા ઘણા વર્ષોથી મંદિરમાંથી દાન પેટી નથી રાખી કોઈ ભેટ કે પૈસા સ્વીકારતા નથી અને અવિરત સદાવ્રત ચાલુ છે હમણા તાજેતર માં જ પૂજય રઘુરામભગતે જલારામ બાપા અને વીરબાઈની પ્રેરણાથી નવ નિર્મિત અયોધ્યાના રામજી મંદિર મા રામલલ્લાને ધરાવવામાં આવતો થાળ આજીવન વીરપુર મંદિર તરફ થી ધરાવશે એવું જાહેર કરેલ છે

આમ વીરબાઈ માં જલારામ બાપાનો પરિવાર પણ કર્તવ્યનિષ્ઠ છે પૂજય વીરબાઈ માના આવા ઉમદા, નેક, વફાદાર, સત્યપ્રિય, કર્મનિષ્ઠ, રામનિષ્ઠ, પતિ પરાયણ, સાદા, સરળ, નિર્મળ, મન વાળા સન્નારી એવા વીરબાઈ માં જલારામ બાપા ને જિંદગીમાં સાથ આપતા આપતા પોતાનો ધર્મ અને કર્મ અદા કરતા કરતા સવંત ૧૯૩૫ કારતક વદ નોમના દિવસે વૈકુંઠવાસી થયા, બાપા એ જગ્યામા સાત દિવસ સુધી અખંડ રામધૂન જગાવી એમના આત્માને પરમ શાંતિ બક્ષી.

આજે અને કાલે વીરબાઈ માંનુ નામ સદાકાળ રહેશે એમાં શંકા નથી.

: સંકલન :

ડો. યોગેશભાઇ વસાણી

(અમરનગર)

: પૂરક માહિતી :

વિજય વસાણી આટકોટ

(3:53 pm IST)