Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

મુસ્‍લિમ ધર્મ ગુરૂઓની રાષ્‍ટ્રીય કક્ષાની સંસ્‍થા ઓલ ઇન્‍ડીયા ઉલમા એન્‍ડ મશાયખ બોર્ડ (AIUMB) ના

ગુજરાત રાજય જનરલ સેક્રેટરી તરીકે વાંકાનેરના એડવોકેટ સૈયદ શકીલ એહમદ પીરઝાદાની નિમણુક

AIUMB દ્વારા ર૦૧૬માં દિલ્‍હી ખાતે આંતરરાષ્‍ટ્રીય સુફી કોન્‍ફરન્‍સનું આયોજન કરાયુ

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૧ :.. સમગ્ર દેશમાં ભાઇચારા અને ઇસ્‍લામીક સુફી વિચારધારાનો પ્રસાર અને પ્રચારનું કામ કરતી મુસ્‍લિમ ધર્મગુરૂઓની રાષ્‍ટ્રીય કક્ષાની સંસ્‍થા ઓલ ઇન્‍ડીયા ઉલમા એન્‍ડ મશાયખ બોર્ડ (AIUMB)  પ્રમુખ જનાબ મોહંમદ અશરફ કિચ્‍છોછવી સાહેબની સુચનાથી AIUMB ગુજરાતના પ્રમુખ જનાબ નસીરૂદીન ચિસ્‍તી સાહેબ (શાહીબાગ, અમદાવાદ) દ્વારા જનાબ એડવોકેટ સૈયદ શકીલ એહમદ પીરઝાદા (વાંકાનેર)ની ઓલ ઇન્‍ડીયા ઉલમા એન્‍ડ મશાયખ બોર્ડ (AIUMB)  ગુજરાત રાજય જનરલ સેક્રેટરી તરીકે નિમણુંક કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ર૦૧૬ માં ઓલ ઇન્‍ડીયા ઉલમા એન્‍ડ મશાયખ બોર્ડ (AIUMB)  દ્વારા ન્‍યુ દિલ્‍હી ખાતે ઇન્‍ટરનેશનલ સુફી કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતનામ મુસ્‍લિમ વિદ્વાન જનાબ ડો. તાહીરૂલ કાદરી સાહેબ સહિતના આલીમો અને મશાયઓએ ભાગ લીધો હતો. જે સુફી કોન્‍ફરન્‍સમાં વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પણ ઉપસ્‍થિત રહ્યા હતાં.

 

(10:16 am IST)