Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શને નવનિયુકત મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર

  વાંકાનેર : બોટાદ જિલ્લાના સાળંગપુરધામમાં આવેલ જગ વિખ્યાત સૌનું આશ્થાનું પ્રતિક એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે આજરોજ તારીખ : ૧૧ / ૧૦ / ૨૧ ને સોમવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને વર્ષો જૂની ભારતીય પરંપરા અનુસાર આજે નવરાત્રી ના પાવન રૂડા અવસરે દાદાને સુંદર કલાત્મક ''ભાતીગળ ના વાંધા'' સાથે દિવ્ય શણગાર દર્શન રાખેલા છે જે મંગળા આરતી પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી દ્વારા કરવામાં આવેલ હતી આ ઉપરાંત ગઈકાલે યજ્ઞ શાળા માં મારૂતિ યજ્ઞ પણ યોજાયેલ હતો તેમજ રાજ્યના નવ નિયુકત મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ''દાદા''ના દર્શનાર્થે પધારેલ હતા અને દાદા ના દર્શન કરીને પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીના તેમજ સંતોના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.

(11:34 am IST)