Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ખંભાળિયાના પ્રખ્યાત શ્રી રામ પેંડાવાલા, શ્રીહરિ રેસ્ટોરન્ટ, મયુર ભજીયા, ગોકુલ ગૃહ ઉદ્યોગ, સ્વાદ કેટરસ સહિતની ૧૮ મીઠાઈ-ફરસાણની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા : વેપારીઓમાં દોડધામ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૧: તહેવારો દરમિયાન મીઠાઈ અને ફરસાણના વેંચાણમાં હલકી ગુણવત્ત્।ાનો ઉપયોગ કરવામાં આવતો હોવાના પગલે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ, ખંભાળિયા પાલિકા અને પ્રાંત અધિકારી દ્વારા ગત સાંજે એકાએક ખંભાળિયામાં ચેકીંગ હાથ ધરવામાં આવતાં શહેરના નામાંકિત વેપારીઓ ઝપટે ચડ્યા હતાં.

જેમાં શારદા સિનેમા રોડ પર આવેલ શ્રીરામ નમકીન ભરતભાઇ મોટાણી , નગર ગેટ નજીક શ્રી રામ પેંડાવાલા, યોગેશભાઈ મોટાણી, શ્રીહરિ રેસ્ટોરન્ટ વિજયભાઈ રસોયા, સ્ટેશન રોડ પર સ્વાદ કેટરસ, અશોકભાઈ રસોયા, સલાયા નાકા પાસે ગોકુલ ગૃહ ઉદ્યોગ કિશોરભાઈ રાયચુરા, વિજય સિનેમા સામે જલારામ દ્યૂદ્યરા, જલારામ પેટીસ, પ્રખ્યાત મયુર ભજીયા, અપ્સરા રેસ્ટોરન્ટ, જલિયાંણ સ્વીટ એન્ડ નમકીન રાજુભાઇ વિઠલાણી, જલારામ ફરસાણ ગૌરાંગ મજીઠીયા, સિંધવી સ્વીટ એન્ડ નમકીન, ચામુંડા ફરસાણ માર્ટ જીગ્નેશ નકુમ, વિજય નાસ્તા ભુવન રસિક લાલ નકુમ, દામભાઈ ઘૂઘરવાળા સહિતના ૧૮ સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કેટલીક દુકાનોમાંથી ખરાબ તેલ મળી આવતા તેનો નિકાલ કરવામાં આવ્યો હતો તેમજ માવાની મીઠાઈ ઉપર એકસપાઈરી ડેટ લગાવેલી ના હોવાથી સૂચના આપી જરૂરી કાર્યવાહી કરી હતી.

ફૂડ એન્ડ ડ્રગ વિભાગના એકાએક દરોડા થી વેપારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

(12:42 pm IST)