Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

વિસાવદરમાં વ્યાજખોરી વિરૃધ્ધ જનજાગૃતિ હેતુસર લોક દરબાર યોજાયો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૨ : વિસાવદરમાં વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસે દ્રઢ નિશ્ચય કર્યો છે.પીએસઆઈ સલમા સુમરાએ વ્યાજખોરી સામે જનજાગૃતિ કેળવવા લોક દરબારનુ આયોજન કર્યુ હતુ.જેમા આગેવાનો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

આગેવાનો દ્વારા સમાજ વિરોધી પ્રવૃત્તિઓ-બદીઓ વિશે વિવિધ વિગતો વર્ણવવામાં આવી હતી.વિસાવદર પોલીસ દ્વારા આ અંગે ઘટતું કરવા ખાતરી આપવામાં આવી હતી આ લોક દરબારમાં આગેવાનો-સરપંચો-સમાજશ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહ્યા હતા.

દરમિયાન જાણવા મળતી માહિતી મુજબ આજે પણ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ગેર કાયદેસર વ્યાજખોરી ડામવા, ચાઈનીઝ પતંગ દોરી ન વાપરવા વગેરે મુદ્દે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી ધાંધલ્યાની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન કરવામાં આવેલ છે

(1:27 pm IST)