Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

રાજકોટ રેન્જ આઇજી થાન-નવાગામની મુલાકાતે

વઢવાણ :  થાન પંથકના અમરાપર, નવાગામ, સારસાણા વિસ્તારમાં ચાલતા કોળી ભરવાડ વચ્ચેના કજીયાનું સુખદ સમાધાન થાનના આગેવાનો તથા પોલીસની મધ્યસ્થીથી કરવામાં આવ્યું હતું. જેને લઇને રેન્જ આઈ.જી. દ્વારા નવાગામની મુલાકાત લઇ સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી. થાન પંથકમાં છેલ્લા સાત વર્ષથી ચાલતા કોળી ભરવાડના કજીયાને લઈને ગ્રામ્ય વિસ્તારના રહીશો, થાનના રહીશો તથા પોલીસ પણ ઉચાટમાં રહેતી હતી. જેને લઇને ધંધા રોજગાર પણ માઠી અસર થવા પામી હતી. ત્યારે સોનગઢના ભગત પરિવાર, કોળી સમાજના આગેવાનો તથા પોલીસની દરમિયાનગીરીથી કોળી ભરવાડ વચ્ચે સમાધાન થયું હતું. ત્યારે રાજકોટ રેન્જ આઇ.જી. સંદિપસિંહ હાજર રહી શકયા ન હતા. બુધવારના રોજ રેન્જ આઈ.જી. એ નવાગામની મુલાકાત લઇ ત્યાં પહોંચી કોળી ભરવાડ ના પરિવાર સાથે વાતચીત કરી સુલેહથી રહેવા અમે એક બીજાના સુખ દુઃખમાં સહભાગી થવાની અપીલ કરી હતી. આ પ્રસંગે રેન્જ આઇ.જી. એસ.પી. ડી.વાય.એસ.પી. તથા પી.આઈ. નું  હાર તોરાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

(11:44 am IST)